બલદેવપરી બ્લોગ: Social science subject paper solution - Gujarat TAT exam - taken on May, 7 2012

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Saturday 2 June 2012

Social science subject paper solution - Gujarat TAT exam - taken on May, 7 2012



1. ક્યાં મંદિરોને 'સંગેમરમરમાં કંડારેલા કાવ્ય' ની ઉપમા આપવામાં આવી છે?
જ. દેલવાડાના જૈન  દેરાસરો 

2. નીચેના માંથી એક  જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર  લખો .
જ. મુહંમદ હુસેન  આઝાદ -  દરબારે અકબરી  

3. દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન  ભાષા કઈ છે?
જ. તમિલ.

4. શાલીહોત્રે કયો પ્રખ્યાત  ગ્રંથ  લખ્યો છે?
જ.અશ્વશાશ્ત્ર 

5. નીચેનામાંથી એક  જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર  લખો.
જ. પ્રજનન  શાસ્ત્ર - ચક્રપાનીદત્ત

6. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે શોધીને ઉત્તર લખો .
જ. ગુજરાત- દુર્ગાપૂજા 

7. અજંતાની ગુફાઓમાં ક્યાં ધર્મના સાધુઓએ  આશ્રય  મેળવીને કલાસર્જન  કર્યું હતું?
જ. બૌદ્ધ

8. જ્યોતીર્ધારોએ રચેલ  કઈ  બાબતમાં સમગ્ર  ભારતની સાત  નદીઓનો સમાવેશ  કર્યો છે?
જ. પ્રાર્થના 

9. રેગોલીથમાં ફક્ત શું હોય છે?
જ. ખનીજ  દ્રવ્ય 

10. માટીકણોના કદને કઈ  બાબત  નિશ્ચિત  કરે છે?
જ. બંધારા 

11. રાજસ્થાનની કઈ  જાતિના લોકો વૃક્ષો અને પ્રાણીઓનું સંરક્ષણ કરે છે?
જ. બિસ્નોઈ 

12. કયું જીવ  આરક્ષિત  ક્ષેત્ર કર્ણાટક , કેરલ  અને તમિલનાડુમાં પ્રસરેલું છે?
જ. નીલગીરી 

13. નીચેનામાંથી કયું વિધાન  સાચું નથી?
જ. પશ્ચિમ  બંગાળને 'સોનેરી પાનાનો મુલક' કહે છે. 

14. ભારતના કુલ  કૃષિ ઉત્પાદનનું કેટલા ટકા ઉત્પાદન  ધાન્ય પાકોમાંથી મળે છે?
જ. 75% 

15. નીચેનામાંથી કયું વિધાન  ખોટું છે તે શોધીને લખો.
જ. કોસી નદીપાર આવેલી કોસી યોજનાનો લાભ  તમિલનાડુ અને આંધ્રપ્રદેશને મળે છે .

16. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
જ. નાગાર્જુન સાગર યોજના - ગોદાવરી 

17. સીસાની ધાતુને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જ. ખનીજ ગેલેના 

18. ભારતમાં લોખંડ ગાળવાની પ્રથમ  ભઠી ક્યાં આગળ  શરુ થઇ?
જ. જમશેદપુર

19. દેશમાં સૌપ્રથમવાર ક્યાં રાજ્યને  પાઈપ  દ્વારા રાંધણ  ગેસ  પૂરો પાડવાની યોજના કાર્યરત  થઇ?
 જ. ગુજરાત 

20. ખનીજ તેલ  અને કુદરતી વાયુના ઉત્પાદનમાં વિશ્વમાં  પ્રથમ  સ્થાને  કયો દેશ  આવે છે ?
જ. યુ.એસ.

21. ભારતમાં લોહ-અયસ્કના પ્રગલનની શરૂઆત  ક્યાં રાજ્યમાં થઇ?
જ. તમિલનાડુ 

22. ભારતમાં  સૌથી વધુ ગળપણ  ક્યાં રાજ્યોની શેરડીમાં હોય છે?
જ. દક્ષીણ 

23. સૌ પ્રથમ  કૃત્રિમ  ઉપગ્રહ આર્ય ભટ્ટ ક્યાં દેશની ભૂમિ પરથી અવકાશમાં છોડવામાં આવ્યો હતો?
જ. રશિયા 

24. વિશ્વમાં સૌથી વધુ ચલચિત્રોનું નિર્માણ  કયો દેશ  કરે છે?
જ. ભારત 

25. સમાંજ્વાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય  છે ?
જ. રાજ્યની

26. વિકાસ શીલ  અર્થતંત્રની ઓળખ  માટે કયું  મુખ્ય  લક્ષણ છે?   
 જ.નીચી માથાદીઠ આવક 

27. ક્યાં દિવસને પર્યાવરણ  દિન  તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
જ. 5 જુન 

28. વિશ્વ  વ્યાપાર સંગઠનનું  વડું મથક  ક્યાં આવેલું  છે?
જ. જીનીવા 

29. ભારતના શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિ દરરોજ  કેટલી  કેલરી ન્યુનતમ  પૌષ્ટિક  ખોરાક  લોકોને મળવો જોઈએ?
જ. 2100 કેલરી 

30. 2001 ની વસ્તી ગણતરી  અનુસાર દેશની આશરે કેટલા ટકા વસ્તી ગામડામાં વસે છે?
જ. 72.2 ટકા 

31. ભારત  સરકારે વસ્તુની ગુણવત્તા જળવાઈ  રહે તે માટે 'ઇન્ડિયન સ્ટાન્ડર્ડ  ઇન્સ્ટીટયુટ' ની સ્થાપના ક્યારે કરી ?
જ. 1947

32. 1952 થી 2010 સુધીમાં કેટલી  મહિલાઓ   સંસદ સભ્ય બની છે ?
જ. 425

33. ઉગ્રવાદી વિચારધારાને નક્સલવાદ  તરીકે કેમ  ઓળખવામાં આવે છે ?
જ. નક્સલવાદી ગામથી ઉદ્ભવ  થયો.

34. ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ  ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ  બળવાખોર પ્રવૃત્તિઓ  કરી છે ?
જ. માઓ ત્સે તુંગ 

35. નીચે આપેલા ચાર  વિધાનો વાંચીને ગ્રાહક સુરક્ષા અધિનિયમની જોગવાઈ  અનુસાર  નીચે પૈકી કઈ બાબતોમાં ગ્રાહક  ફરિયાદ  નોંધાવી શકે ?
જ. 

36. સામાજિક  વિજ્ઞાનના અભ્યાસમાં સમાજ  અને ............. કેન્દ્ર સ્થાને છે .
જ. માનવ 

37. સામાજિક  વિજ્ઞાનના વિષયના હેતુઓને ક્યાં ત્રણ  ક્ષેત્રોમાં વર્ગીકરણ  કરવામાં આવે છે ?
જ. જ્ઞાન, સમાજ  અને ઉપયોજન 

38. નીચેનામાંથી હેતુ સામાજિક  વિજ્ઞાન  વિષયના ઉપયોજનનો સામાન્ય હેતુ છે?
જ. વિદ્યાર્થીઓ  પ્રાપ્ત કરેલા જ્ઞાનનો  નવી પરિસ્થિતિમાં ઉપયોગ  કરે.

39. માઈક્રોટીચિંગ  પ્રયુક્તીમાં  અધ્યાપન કૌશલ્યોની સંખ્યા કેટલી ગણવામાં આવે છે?
જ. 12 

40. માઈક્રો ટીચિંગમાં સૌથી વધુ ફાયદો કોને થાય  છે?
જ. શિક્ષકની તાલીમ  લેતા પ્રશિક્ષણર્થીઓને.

41. પાઠ  આયોજન એટલે શું ?
 જ.શૈક્ષણિક  હેતુઓની સિદ્ધિ માટે શિક્ષક  જે ક્રિયાઓનું આયોજન કરે તે  આલેખપત્ર 

42. હેતુ કેન્દ્રી પાઠ આયોજન  એટલે શું?
જ. 

43. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ  હતા?
જ. જ્હોન  ડ્યુઈ 

44. નીચેના માંથી કયું સાધન  શ્રુતિ ગમ્ય  છે ? 
જ. રેડિયો 

45. શૈક્ષણિક  સાધન  તરીકે ચાર્ટના પ્રકારો કેટલા છે ?
જ. 

46. નીચેના માંથી કયું અધ્યાપન સૂત્ર નથી ? 
જ. 

47. પ્રશ્ન  પ્રવાહિતા કૌશલ્યમાં વર્ગ  શિક્ષણની કઈ બાબત  મહત્વની નથી?
જ. વિદ્યાર્થીનું લેખન કાર્ય  સારું થાય  છે.

48. સમયરેખા  તૈયાર કરતી વખતે કઈ  બાબત  ધ્યાનમાં રાખવામાં આવે છે?
જ. સ્કેલમાપ અને સમય

49. આદર્શ  પ્રશ્નપત્રની રચના કરવા માટે શું ધ્યાનમાં લેવામાં આવે છે?
જ. બ્લુ પ્રિન્ટ

50. સામાજિક  વિજ્ઞાનના પાઠ્યપુસ્તકને  કઈ  સંસ્થા તૈયાર કરે છે ?
જ. ગુજરાત  રાજ્ય શાળા પાઠ્યપુસ્તક  મંડળ

51. "શ્રીલંકા" દેશનું સ્થાન  શીખવવા માટે ક્યાં પ્રકારનો નકશો વધુ ઉપયોગી બને છે ?
જ. એશિયા રેખાંકિત  નકશો

52. શિક્ષણના નિર્ધારિત  હેતુઓ-ક્ષમતા ઓ કેટલા અંશે સિદ્ધ  થઇ  શક્યા તે જાણવાની પ્રક્રિયા એટલે ..................
જ. મૂલ્યાંકન

53. અનાત્મલક્ષી કસોટીમાં જવાબ તપાસનાર વ્યક્તિનું શું આવતું નથી ?
જ. આત્મલક્ષીપણું 

54. 'ભારતના સંસ્કૃતિક વરસના સ્થળો'   શીખવવા માટે  નીચેના માંથી કયું સાધન ઉપયોગી નથી ?
જ. ઉપચારાત્મક કાર્ય 

55. સામાજિક  વિજ્ઞાન  વિષયના પરીક્ષણકાર્ય  માટે કઈ  નુતન  પદ્ધતિનો અમલ  કરવામાં આવ્યો છે?
 જ. સતત  સર્વગ્રાહી મૂલ્યાંકન 

56. જલીયાવાલા બાગનો હત્યાકાંડ કરાવનાર  જનરલ .........
જ. જનરલ  ડાયર 

57. ભારતમાં અસહકારનું આંદોલન  ક્યારે શરુ થયું?
જ. ડીસેમ્બર 1920 

58. ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ શરુ કરાવનાર.............
જ. લોર્ડ મેકોલે 

59. દાંડી યાત્રાની શરૂઆત માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
જ. 12 માર્ચ 1930- સાબરમતી આશ્રમથી 

60. બ્રિટીશ  લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય  લીધી?
જ. 28 ફેબ્રુઆરી 1948 

61. 1943ની બીજી જુલાઈએ  સુભાષચંદ્ર બોઝ  જાપાનથી ક્યાં ગયા હતા ?
જ. સિંગાપુર 

62. 'ઠંડા યુદ્ધ' ની પરિસ્થિતિનો સમયગાળો કયો કહી શકાય?
જ. 1945 થી 1962 

63. બર્મા ( મ્યાનમાર) ને ક્યારે આઝાદી મળી?
જ. 1948માં 

64. બર્લિન  ક્યાં દેશનું પાટનગર  હતું?
જ. જર્મની 

65. કેટલાક  વિદ્વાનો કઈ  કટોકટીને ઠંડા યુદ્ધના અંતમાં આરંભ  તરીકે ગણાવે છે?
જ. ક્યુબાની કટોકટી 

66. ભારતમાં કોના નેતૃત્વ નીચે બિન  જોડાણવાદની વિદેશ નીતિ  અપનાવાઈ ?
જ. પંડિત  જવાહરલાલ  નહેરુ 

67. 1985માં સોવિએત  યુનિયનમાં સત્તા પર આવનાર ...........
જ. મિખાઈલ  ગોર્બોચેવ 

68. ઈ.સ. 2000 નવેમ્બરમાં બિહાર માંથી ક્યાં નવા રાજ્યની રચના કરવામાં આવી?
જ. ઝારખંડ 

69. હૈદરાબાદને ભારત સંઘમાં જોડાવવા માટે કોણે  મહત્વની ભૂમિકા ભજવી હતી?
જ. કનૈયાલાલ  મુનશી 

70. ભારત  પાકિસ્તાન  વચ્ચેનો મુખ્ય  વિવાદ  કયો રહ્યો છે?
જ. જમ્મુ કાશ્મીરનો 

71. ગુજરાતનો કયો પ્રદેશ  અલ્પવિકસિત  છે ?
જ. કચ્છનો 

72. એકવીસમી સદીની સૌથી મહત્વની ટેકનોલોજી કઈ  ગણાય?
જ. બાયો-ટેકનોલોજી 

73. નીચેનામાંથી કયું રાજ્ય ઔદ્યોગિક  વિકાસમાં ખુબ જ  આગળ  છે ?
 જ. ગુજરાત 

74. ભારતના સમવાય તંત્રમાં સંયુક્ત યાદીમાં નીચેના પૈકી ક્યાં વિષયોનો સમાવેશ  કરવામાં આવ્યો છે?
જ. લગ્ન અને છુટાછેડા, શિક્ષણ અને આર્થિક  આયોજન.

75. સંઘની ધારાસભાને  શું કહેવામાં આવે છે?
જ. સંસદ 

76. ભારતના કેટલાક  પ્રખ્યાત  સ્મારકો તેમના બાંધકામના સમયગાળા અનુસાર  ક્રમમાં ગોઠવેલ  છે તે પૈકી સાચી ગોઠવણી કઈ?
જ. અજન્તા, કુતુબમિનાર, આગ્રાનો કિલ્લો, તાજમહેલ 

77. આપણા દેશમાં 'માનવ હક'  દિનની ઉજવણી કઈ તારીખે થાય છે?
જ. 10,ડીસેમ્બર 

78. " ધરપકડ કે અટકાયત  કારણ  જણાવ્યા સિવાય  કોઈપણ  વ્યક્તિની ધરપકડ કે અટકાયત  શકાય નહિ"  આ વિધાન નીચેના પૈકી ક્યાં મૂળભૂત  હકનું ગણાય? 
જ. સ્વતંત્રતાનો હક 

79. રાજ્ય કક્ષાએ  વહીવટી અધિકારીઓની ભરતી કોની મદદ થી થાય છે?
જ. જાહેર સેવા આયોગ  દ્વારા 

80. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણુક કોણ  કરે છે?
જ. રાષ્ટ્રપ્રમુખ

81. રાજ્ય સભાના દરેક સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે?  
જ. 6 વર્ષની 

82. સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશોની સંખ્યામાં કોણ  ફેરફાર કરી શકે ?
જ. રાષ્ટ્રપ્રમુખ 

83. વડી અદાલતોના અધિકાર ક્ષેત્રમાં  કયું અધિકાર ક્ષેત્ર  નથી?
જ. અંતિમ  અધિકાર ક્ષેત્ર 

84. નીચેનામાંથી કયો ક્રમ  માત્ર  પ્રાદેશિક પક્ષોનો છે?   
જ. અકાલી દળ-તેલુગુદેશમ- રાષ્ટ્રીય  જનતા દળ- અન્ના દ્રવિડ  મુનેત્ર કઝગમ 

85.  નીચેનામાંથી કયું  માધ્યમ  લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત  માધ્યમ છે?
જ. દૈનિક વર્તમાનપત્રો 

86. ભારતનું ક્ષેત્રફળ  જગતના ભૂ-ક્ષેત્રના આશરે કેટલા ટકા છે ?
જ. 2.42% 

87. ભારતનો સમાવેશ  કઈ  ભૂ-સંચલનીય  પ્લેટમાં થાય  છે ?
જ. ઇન્ડો- ઓશ્ત્રેલિયન  પ્લેટમાં 

88. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન  યોગ્ય છે?
જ.  પશ્ચિમ ઘાટ સાગરને  કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર-દક્ષિણમાં વ્યાપ્ત છે. 

89. મૃદાવારણીય  પ્લેટોની કઈ ક્રિયાથી ભૂપૃષ્ઠ  સ્તર ભંગ થાય  છે?
જ. અપસરણ 

90. શિયાળાની રાત્રિઓમાં ઢ્રાસ ( જમ્મુ) નું તાપમાન કેટલા ઔંસ  સે. જેટલું નીચું ઉતારી જાય છે?
જ. 45 ઔંસ  સે.

91. સુવર્ણ  ચતુર્ભુજ ( Golden Quadrilateral )  અંગે નીચે આપેલ  વિગતો માંથી કઈ  બાબત સાચી નથી ?
જ. અમદાવાદ સુવર્ણ  ચતુર્ભુજ પરનું મહત્વનું કેન્દ્ર છે.

92. ક્યાં પાણીમાં સ્વયમ  સાફ  કરવાની ક્ષમતા હોય  છે?
જ. વહેતા 

93. મિશ્ર  અર્થતંત્ર  બાબતે કયું વિધાન  સાચું છે?
જ. મિશ્ર  અર્થતંત્રમાં ખાનગી અને જાહેર  વિભાગોનું સહ અસ્તિત્વ હોય છે.

94.  વિશ્વના કેટલા ટકા સરીસૃપ,સસ્તન  અને ઉભયજીવી પ્રાણીઓ  ભારતમાં વસે છે ?
જ. 5 થી 8 

95. ઈ.સ. 1901 માં ભારતની વસ્તી કેટલા કરોડ હતી ?   
જ. 23.6

96. આપણા બંધારણની  કઈ  કલમમાં ભારતના સાંસ્કૃતિક  વારસાના જતન  માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે?
જ. કલમ-51(ક) 

97. નીચેના માંથી કયું વિધાન  સાચું છે?
જ. વિદેશીઓના ભારતીયકારણમાં ધર્મે મુખ્ય ભાગ  ભજવ્યો.

98. નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી?
જ. જ્યોત 

99. મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ નાટ્યકૃતિઓ  કઈ  શૈલીમાં લખાયેલી છે?
જ. વૈદર્ભી 

100. તાક્ષશીલાનો ધર્મરાજિકા સ્તૂપ  કઈ  શૈલીનો છે?
જ. ગાંધાર

1 comment:

Haresh Patel said...

Dear Balvant!

Please remove this post and other posts that you've copied/plagiarized from our blog.

Thanks.

Regards,
Haresh
Administrator of Gujarat TAT blog

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE