બલદેવપરી બ્લોગ: આ યુગમાં જીવવું કઈ રીતે ?

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Friday 10 August 2012

આ યુગમાં જીવવું કઈ રીતે ?


આ યુગમાં જીવવું કઈ રીતે?

ઘોર કિળયુગમાં પણ સતયુગનું જીવન કઈ રીતે શક્ય બની શકે તે જાણવા વાંચો...

આ સૃષ્ટિની એક રહસ્યમય પ્રક્રિયા દ્વારા આપણી પીડાઓ આગળ જતાં છેવટે શાંત સુખનું રૂપ ધરી લેતી હોય છે, ભડભડતું યૌવન છેવટે કોમળ-સૌમ્ય વૃદ્ધત્વનું રૂપ ધરી લે છે. આ છે સૃષ્ટિનું સૌંદર્ય... મને લાગે છે કે બાળપણની મીઠી સ્મૃતિઓથી વધુ મૂલ્યવાન આપણને બીજું કશું ન લાગી શકે. હું તો કહીશ કે જેનું બાળપણ ઝૂંપડામાં વીત્યું હોય એવા માણસ પાસે પણ બાળપણની કેટલીક મીઠી સ્મૃતિઓનો ખજાનો હોવાનો જ (આવી સ્મૃતિઓ માણસને આજીવન મદદરૂપ બને છે)... ક્યારેક જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ બદલ આજીવન તમારા દિલમાં ડંખ રહી જાય તો પણ એ વાતે રાજી થજો કે તમારાથી ભલે ભૂલ થઇ ગઇ, પરંતુ આ જગતમાં એવા લોકો પણ છે જેમણે તમારા જેવી ભૂલ નથી કરી, જે સાચા છે, સારા છે... ધરતીને તમારા આંસુથી સીંચવાનો જે ઉન્મેષ છે, એમાં જે મહા-આનંદ છે તે બદલ ક્યારેય શરમ ન અનુભવશો. ઊલટાનું એવી પળોને તો ખાસ હૃદયમાં સંઘરી રાખજો. કારણ કે પોતાના આંસુથી ધરતીને સીંચવી એ એક અત્યંત દુર્લભ ભેટ છે... પ્રાર્થના ખાસ કરવી. જો તમે સાચા દિલથી પ્રાર્થના કરશો તો રોજ તમારામાં નવો ઉત્સાહ પ્રગટશે. નવા નવા વિચારો તમારા મનમાં પ્રગટશે. તમને નવું બળ મળશે. પછી તમને સમજાશે કે પ્રાર્થના અસલમાં શિક્ષણની ગરજ સારે છે... ઇશ્વરના તમામ સર્જનને ચાહજો. પ્રત્યેક લીલા પાનને, પ્રકાશના કિરણને, પ્રાણીને, વૃક્ષોને અને નિર્જીવ પદાર્થને પણ ચાહજો. જો તમે બધી જ ચીજોને ચાહી શકશો તો તમને સઘળા પદાર્થોમાં ઇશ્વર (ઓકે, વિજ્ઞાનના નિયમો)-નું રહસ્ય વર્તાશે. અને એક વાર આવો અહેસાસ થયા પછી તમને રોજરોજ ઇશ્વરની સર્વવ્યાપી હાજરી વધુ ને વધુ સ્પષ્ટ રીતે સમજાશે... બાળકોને ખાસ ચાહજો. એ પાપમુકત છે. તે આપણને કોમળ બનાવવા, આપણા હૃદયને સ્વચ્છ કરવા અને એક રીતે જોતાં, આપણને દોરવણી આપવા જન્મ લે છે... હું કહું છું કે લોકોને ઝાઝી સ્પષ્ટતાઓ અને ઊંચી વાતોની જરૂર જ નથી. સીધી-સરળ-હૃદયસ્પર્શી બોધકથાઓમાંથી લોકો જાતે જ બધું સમજી લેતા હોય છે... તમારી જાતને પશુઓથી ઊંચી ન આંકશો. એમનામાં પાપ નથી. જ્યારે તમે ગમે તેટલા મહાન હો તો પણ છેવટે પૃથ્વી પર જ્યાં પણ જશો ત્યાં તમે ગંદકી છોડી જશો... ઇશ્વરને પ્રાર્થના કરજો કે એ તમને આનંદી બનાવે, બાળકો જેવા આનંદી... તમારી અંદરની હતાશા ખંખેરી નાખો. જગતમાં જે અશુભ છે તેનો મુકાબલો કરવાનો એક રસ્તો એ છે કે તમે દ્રઢ બનો અને જગતની પ્રત્યેક (સારી તેમ જ ખરાબ) બાબતમાં તમારી ભૂમિકા સમજો-સ્વીકારો... પ્રત્યેક પળે જાગ્રત રહેજો. તમારું વર્તન અયોગ્ય ન હોય તેની ખાસ કાળજી રાખજો. માની લો કે તમે ભારે ગુસ્સામાં છો. તમે આકરા શબ્દો બોલી રહ્યા છો. આવા સમયે જો તમે કોઇ બાળકની નજીકથી પસાર થાવ ત્યારે તમારું તો કદાચ એ બાળક પર ધ્યાન પણ ન જાય, પરંતુ તમારું એ ગંદું રૂપ અને તમારા એ શબ્દો પેલા બાળક પર જીવનભર ન ભુંસાય એવી એક ખરાબ છાપ છોડી શકે. એ છાપ બાળકમાં બીજરૂપે પડી રહે અને આગળ જતાં એ બીજ ઊગીને મોટું થાય ત્યારે આખી વાતમાં દોષ કોનો? તમારો, કારણ કે તમે બાળકની હાજરી બાબતે સંવેદનશીલ ન બની શક્યા, બાળક પ્રત્યે તમે સક્રિય પ્રેમ ન દાખવી શક્યા... આવો સક્રિય પ્રેમ એક શિક્ષક છે. પ્રેમનું શિક્ષણ બહુ કપરું છે. એ આકરી કિંમત માગે છે. પ્રેમ શીખવામાં ખૂબ મહેનત કરવી પડે છે. એ કંઇ પળવારનું કામ નથી, એ તો હંમેશને માટે ચાલનારું કામ છે.’ આ શબ્દો છે ‘ધ બ્રધર્સ કારામાઝોવ’ના એક પાત્ર ઝોસિમાના. લેખક દોસ્તોયેવસ્કીએ તે ક્યાંથી મેળવ્યા એ જાણવા જેવું છે. દોસ્તોયેવસ્કીને વાઇની બીમારી હતી, જે એમના દીકરાને વારસામાં મળી. પરિણામે, દીકરો ફકત ત્રણ જ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. એ દીકરાનું નામ હતું અલ્યોશા. એના પરથી દોસ્તોયેવસ્કીએ પોતાની આ અંતિમ નવલકથાના નાયકનું નામ રાખ્યું, અલ્યોશા. પુત્રના મૃત્યુની વેદના આ નવલકથામાં ઠેર ઠેર અનુભવી શકાય છે. ખાસ તો, છેલ્લા પ્રકરણમાં બાળકનું મૃત્યુ અને પિતાનો શોક દોસ્તોયેવસ્કીએ દિલથી આલેખ્યો છે. એ ઘટના આપણે અત્યંત ટૂંકમાં જાણી. (એક કબૂલાત: આખી નવલકથા લગભગ ૪.૪૦ લાખ શબ્દોની છે. એનો સાર ‘કળશ’માં અંદાજે પંચાવન હજાર શબ્દોમાં, એટલે કે આઠમા ભાગરૂપે રજુ થયો. આમાં થયું એવું કે અડધી નવલકથા વર્ષથી પણ વધુ સમય ચાલી, પરંતુ ત્યાર બાદ બાકીની અડધોઅડધ નવલકથા છેલ્લા ફકત ચાર જ અઠવાડિયામાં પૂરી કરવામાં આવી હોવાથી નવલકથાના ઉત્તરાર્ધમાં આપણે બહુ ઊંડા ન ઊતરી શક્યા. આવામાં, જો આ કથાનો ગુજરાતી ભાવાનુવાદ પુસ્તકરૂપે પ્રગટ કરી શકાશે તો એમાં આખી કથા પહેલેથી છેલ્લે સુધી, વધુ વિગત અને ઊંડાણ સાથે રજુ થશે એટલી ખાતરી આપું છું). ખેર, તો પુત્રના મૃત્યુ બાદ દોસ્તોયેવસ્કી સાંત્વન મેળવવા એક વાર ઓપિ્ટના નામના એક મઠની મુલાકાતે ગયેલા. ત્યાંથી એમને આદરણીય ગુરુ લિયોનિદના જીવન વિશેનું લખાણ મળ્યું. એ લખાણ, લગભગ શબ્દશ:, લેખકે આ નવલકથામાં (ગુરુ ઝોસિમાના બયાનરૂપે) ઉતાર્યું. આ બયાનમાં છુપાયું છે નવલકથાનું હાર્દ. માટે, એ બયાનના અંશો ઉપર ટાંક્યા છે. બીજી વાત: આ નવલકથામાં ચાર પુત્રોનો પિતા પ્રત્યેનો દ્વેષ છેવટે પિતૃહત્યામાં પરિણમે છે. ચારેયને ખબર હતી કે એમનો બાપ એમની માતા સાથે ખરાબ રીતે વતેલો. તો, પત્ની સાથે બદતમીઝી કરનારા પુરુષોએ એ વાત સમજવા જેવી છે કે પત્ની તો કદાચ પણ માફ કરી દેશે, પણ દીકરાઓ જાહેરમાં કે છુપી રીતે એને દુશ્મન ગણશે, ધિક્કારશે અને બાપને મારી નાખવાનો વિચાર એમના મગજમાં ક્યારેક ઝબકશે. એટલે જ, કોઇ વિચારકે કહ્યું છે: ‘પોતાનાં સંતાનોની માતા (પત્ની)ને સાચા દિલથી ચાહવાથી વધુ મોટી ભેટ કોઇ પણ બાપ એનાં સંતાનોને આપી શકે નહીં.’ આ વિધાન ફરી ફરી વાંચીને એ વિશે શાંતિથી વિચારશોજી. ત્રીજી વાત: દોસ્તોયેવસ્કી પોતે લાંબા સમય સુધી નાસ્તિક રહી ચૂકેલા. એ તો ઠીક, જિંદગી કેટલી ભયાનક અને સડેલી છે તથા વેવલી શ્રદ્ધા કેટલી વાહિયાત અને બિનતાિર્કક છે એ વિશે દોસ્તોયેવસ્કીએ પોતે ઊંડું ચિંતન કરેલું. વાસ્તવમાં, માણસના મનની સૌથી અંધારી ગલીકૂંચીઓનું અફલાતૂન વર્ણન કરવામાં દોસ્તોયેવસ્કીનો જોટો જડવો મુશ્કેલ છે. એટલે જ તો આ નવલકથામાં એક તરફ ઇવાનની અણીદાર નાસ્તિકતા અને બીજી તરફ અલ્યોશાની સરળ-દેશી-ગ્રામીણ ધાર્મિકતાનો દિલચસ્પ ‘જંગ’ દોસ્તોયેવસ્કી આલેખી શક્યા છે. માણસના હૃદયમાં શુભ-અશુભ વચ્ચે કેવા કેવા જંગો ખેલાતા રહે છે તેનું આલેખન કરવામાં દોસ્તોયેવસ્કીની માસ્ટરીને લીધે નિત્શે, ફ્રોઇડ, આઇન્સ્ટાઇન, કામૂ, વિટગેસ્ટાઇન... વગેરે અનેક મહારથીઓથી માંડીને અસંખ્ય સામાન્ય માનવીઓ એમની ‘ફેન-ક્લબ’ના સભ્ય છે. સરવાળે સંસાર પરિવર્તનશીલ (અને ભુલકણો) હોવા છતાં, આ પૃથ્વી ટકશે ત્યાં સુધી દોસ્તોયેવસ્કીનું નામ સાવ જ ભુલાઇ જાય એવી શક્યતા નહીંવત્ છે. છેલ્લી વાત: આ નવલકથામાં ઝોસિમા દ્વારા અપાયેલા ઉપદેશને દોસ્તોયેવસ્કીએ પોતાના જીવનમાં કેટલું મહત્વ આપેલું તેની એક દિલચસ્પ સાબિતી દોસ્તોયેવસ્કીની દીકરી લ્યુબોવના આ બયાનમાંથી મળી રહે છે. પિતાના મોત વિશે દીકરી નોંધે છે: ‘બાપુજીએ અમને કમરામાં બોલાવ્યા. શાંતિથી ધર્મપાઠ સાંભળ્યો. પછી એ ધીમા સાદે બોલ્યા: ‘મારાં બાળકો, હું તમને ચાહું છું, પણ એ (ઇશ્વર) તમને જેટલા ચાહે છે એની સરખામણીમાં મારો પ્રેમ તો કશું જ નથી. તમે બહુ જ વ્યથિત થાવ અને વ્યથાના આવેશમાં તમે કોઇ ગુનો આચરી બેસો તો પણ, ઇશ્વરની ક્ષમા પર શ્રદ્ધા રાખજો. તમે એનાં સંતાન છો. એની સમક્ષ નમ્ર બની રહેજો. એની માફી માગજો. (હમણાં તમારી માતાએ જે ધર્મકથા વાંચી સંભળાવી તેમાં) ભટકેલા દીકરાના પુનરાગમનથી પિતા જેવી રીતે રાજી થયો એવી જ રીતે ઇશ્વર તમારી ક્ષમાયાચનાથી રાજી થશે.’ પછી થોડી જ પળોમાં દોસ્તોયેવસ્કીએ દેહ ત્યજી દીધો. દીકરી લ્યુબોવ નોંધે છે: ‘મોત તો મેં ઘણાં જોયાં, પણ મારા પિતા જેટલું તેજસ્વી મૃત્યુ મેં કોઈનું નથી જોયું.’ નવલકથામાં ઝોસિમાએ મરતાં પહેલાં કહેલી, એવી જ વાતો દોસ્તોયેવસ્કીએ વાસ્તવમાં મરતાં પહેલાં ઉચ્ચારી. મતલબ કે ઝોસિમાની વાતો દોસ્તોયેવસ્કીએ ખરેખર આત્મસાત્ કરેલી. આ કામ આપણે પણ કરવા જેવું છે. તો, સો વાતની એક વાત: અત્યંત ઊંચી અને ભારે ઊંડી એવી આ પેચીદી નવલકથા દ્વારા દોસ્તોયેવસ્કી જે કહેવા માગતા હતા તે એ હતું કે કર ભલા સો હો ભલા. બસ, આટલી જ અમસ્તી વાત છે. ‘ભલા કીજે ભલા હોગા, બુરા કીજે બુરા હોગા...’ આ પંક્તિ કલાસિક છે. ‘સજન રે ઝૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ’ એ ગીતની આ પંક્તિ છે. ઓકે, તો આ કોલમની હવે પછીની કલાસિક કૃતિ છે આ ગીત - સજન રે ઝૂઠ મત બોલો રીતે?

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE