બલદેવપરી બ્લોગ: આદર – પ્રેરણા અને પ્રોત્સાહન

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Saturday 25 August 2012

આદર – પ્રેરણા અને પ્રોત્સાહન


મિત્રો,
કોઈ જ્યારે આપણી સાથે અસભ્ય વર્તન કરે, આપણાં વીશે કે આપણી પરિસ્થિતિ વિશે કશું જાણ્યા વગર મન ફાવે તેમ બોલે ત્યારે સ્વાભાવિક છે કે આપણને અણગમો થાય કે ગુસ્સો આવે.
તેવી જ રીતે જ્યારે આપણે બીજા સાથે તોછડાઈ ભર્યું વર્તન કરીએ, જેમ તેમ કહીએ કે કોઈનું અપમાન કરીએ તો સ્વાભાવિક છે કે તેમને પણ ન ગમે.
નાનપણથી આપણે આ શ્લોકો ગોખતા આવ્યા છીએ:
માતૃદેવો ભવ:
પિતૃદેવો ભવ:
આચાર્ય દેવો ભવ:
જેનો અર્થ થાય છે કે માતાને, પિતાને, ગુરુજનોને દેવતૂલ્ય આદર આપવો. સાથે સાથે તેમના પક્ષે પણ આ સૂત્રો અપનાવવા જેવા છે:
બાલ દેવો ભવ:
શિષ્ય: દેવો ભવ:
પરસ્પર દેવો ભવ:
એટલે કે બાળકો / વિદ્યાર્થીઓ અને આપણાં સંપર્કમાં આવતા સહુ કોઈને દેવ સમાન સન્માન આપવું.
કોઈ પણ વ્યક્તિ જ્યારે અણછાજતું વર્તન કરે છે તો તેના પાયામાં સામેની વ્યક્તિના વાંક કરતા પોતાની જાત પરનો ઓછો કાબુ જવાબદાર હશે. તેથી આ જગતના જીવોને સુધારવાના બુંગીયા બજાવવા કે બણગાં ફુંકવા કરતા પોતાની જાતને સુધારવાનું રણશીંગુ વગાડવા જેવું છે.
મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે તેઓ ખરેખર શું ઈચ્છે છે. તેથી તેઓ જ્યાંથી પણ લાભ મળે ત્યાં દોડે છે અને પરીણામે કશુંયે પામ્યા વગર હાથ ઘસતા રહી જાય છે. વ્યક્તિએ પોતાની પ્રત્યે અને પોતાના ધ્યેય પ્રત્યે વફાદાર રહેવું જોઈએ.
બીજી વ્યક્તિઓ સાથે મતભેદ સર્જાય તો મતભેદ ટાળવાના છેવટ સુધીના પ્રયાસ કરી લેવા જોઈએ. પાંડવ અને કૌરવ વચ્ચેના મતભેદો જ્યારે ચરમ સીમાએ પહોંચ્યા ત્યારે યુધિષ્ઠીરે કહ્યું કે માત્ર પાંચ ગામ આપી દ્યો અને યુદ્ધ ટળી જશે. તેવે વખતે દુર્યોધન કહે છે કે પાંચ ગામ તો શું સોયની અણી જેટલી પણ ભૂમી નહીં આપું. સત્તા અને સંપતીના મદથી છકેલો માણસ દેખતો હોવા છતાં આંધળો છે. છેવટે શ્રીકૃષ્ણ સંધિ માટે જાય છે પરંતુ દુર્યોધન જેનું નામ – ન માન્યો તે ન જ માન્યો અને છેવટે કુંતિએ કહેવું પડ્યું કે:
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;
પાર્થને કહો ચડાવે બાણ.
ઘણાં લોકો સમજ્યાં વગર શ્રીકૃષ્ણ પર યુદ્ધનું દોષારોપણ કરતાં હોય છે પરંતુ વગર કારણે રાજાઓને કુરુક્ષેત્રના મેદાનમાં ઘસડી જનાર દુર્યોધનના દુષ્કૃત્યો કોઈને દેખાતા નથી. વ્યસન / જુગાર અને વ્યભીચારમાં રત તે રાજવીઓ પોતાના કુકર્મોને પાછાં દુષણને બદલે ભુષણ હોય તેમ જાંઘ ઠોકી ઠોકીને ગાઈ વગાડીને કહેવામાં ગૌરવ અનુભવતા હોય છે.
કહેવાનું તાત્પર્ય તે છે કે શક્ય તેટલા પ્રયત્નો શાંતિ માટે કર્યા પછી જ્યારે તેમ લાગે કે હવે સામનો કર્યા વગર પરિસ્થિતી સુધરે તેમ જ નથી તેવે વખતે જ શસ્ત્રો હાથમાં લેવા જોઈએ. અને જો શસ્ત્ર ધારણ કરવાથી શાંતિ રહેતી હોય તો તેમ કરવામાં હિચકિચાટ ન અનુભવવો જોઈએ. દંભી અહિંસા કરતાં સામર્થ્યભરી હિંસા વધારે શાંતિપ્રદ પરીણામો આપે છે.
રોજે રોજ ત્રાસવાદીઓ છમકલા કરતાં રહે તો પ્રજાનું શું થાય? તેને બદલે મક્કમતાથી ત્રાસવાદીઓના રહેઠાણો શોધી શોધીને તેમને ઠાર કરવા તે વધારે શાંતિપ્રદ ગણાય.
જુદા જુદા લોકો જુદી જુદી પરિસ્થિતીમાંથી આવતાં હોય છે. દરેકના સંસ્કાર / ઉછેર / રહેણી કરણી / વિચારવાની ઢબ છબ બધુ અલગ અલગ હોય છે. તેથી પ્રત્યેક વ્યક્તિનો દૃષ્ટિકોણ સમજીને લોકો સાથે કામ પાર પાડવું જોઈએ. મારો જ કક્કો ખરો અને તમારી વાત ખોટી તેવી માનસિકતામાંથી બહાર આવીને સ્વીકારવું જોઈએ કે જેમ મારો કક્કો ખરો તેમ તમારી ABCD યે સાચી.
દરેક વ્યક્તિમાં કાઈ ને કાઈ સારપ છુપાયેલી હોય છે. સામેની વ્યક્તિની નબળી બાજુ જોવા કરતાં તેની અંદર રહેલા ગુણોને જોવા જોઈએ અને તે ગુણોને વધુ ને વધુ વિકસાવી શકે તે બાબતે પ્રોત્સાહિત કરવા જોઈએ.
બીજી વ્યક્તિ સાથે આપણે નમ્રતાપૂર્ણ વ્યવહાર કરતા શીખવું જોઈએ. મહેરબાની કરીને મને મદદ કરશો તેવી રીતે મદદ માંગનારને ભાગ્યેજ કોઈ ઈન્કાર કરશે. વળી બીજા લોકોએ આપણને કરેલ સહાય બદલ આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે આભારના શબ્દોનો ઉપયોગ કરતા અચકાવુ ન જોઈએ.
સામેની વ્યક્તિની ઉંમર અને ગુણો તથા પાત્રતાને માન આપીને તેમનો પુરો આદર તથા ગૌરવ જળવાય તેવી જાતનું વર્તન આપોઆપ જ સામેની વ્યક્તિના દિલમાં આપણે માટે કુણી લાગણી ઉત્પન્ન કરશે.
આ વાત યાદ રાખવી જોઈએ કે દરેકે દરેક વ્યક્તિમાં દિવ્યતા રહેલી છે તેથી કારણ વગર કોઈનું યે સ્વમાન ઘવાય તેવા શબ્દો ન બોલવા જોઈએ કે કઠોર વર્તન ન કરવું જોઈએ.
જો આ પ્રમાણે આપણે સહુ કોઈને સન્માન આપતાં શીખી જઈએ અને આદર આપતા આવડી જાય તો જરૂર જીવન વધારે જીવવા જેવું લાગશે.
તો મિત્રો, આજથી જ આપણે સહુ કોઈની સાથે વિનમ્રતાથી આદરપૂર્વક રીતે વર્તવાનું શરુ કરશું ને?

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE